મહા શિવરાત્રી (Maha shivratri) ): એક દિવ્ય ઉજવણી
મહા શિવરાત્રી હિન્દુ ધર્મના સૌથી પવિત્ર તહેવારોમાંનો એક છે, જે ભગવાન શિવને સમર્પિત છે. આ પાવન રાત્રિ પર ભક્તો ઉપવાસ, પૂજા અને ધ્યાન દ્વારા ભોલેનાથને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે.

મહા શિવરાત્રીનો મહિમા
મહા શિવરાત્રી ભક્તિ, આત્મશુદ્ધિ અને અધ્યાત્મના પ્રતીકરૂપે મનાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીનો પવિત્ર મિલન થયો હતો. તે ઉપરાંત, શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ, આ દિવસે ભગવાન શિવે તાંડવ નૃત્ય કર્યું હતું, જે સૃષ્ટિ, સંહાર અને પુનર્જીવનનો સંકેત છે.
મહાશિવરાત્રી મેળો (Maha shivratri mela )
મહાશિવરાત્રીનો મેળો જુનાગઢમાં માં છે. આમ જોવામાં આવે તો દુનિયાભરના સાધુ જૂનાગઢના ભવનાથ તળેટીમાં આવેલ દામોદર કુંડ ડૂબકી લગાવીને સ્નાન કરે છે અને સ્થાન કર્યા પછી આ સાધુઓ ક્યાં જાય છે તે કોઈને ખબર પડતી નથી. ફક્ત મહાશિવરાત્રીના દિવસે જ મેળો ભરાય છે; તેમાં નાગા સાધુ, આ ઉપરાંત અન્ય સાધુ, પણ આ મેળામાં આવે છે.
મહાશિવરાત્રીના દિવસે ભરાતા મેળામાં દૂર દૂરથી શિવભક્તો શિવની આરાધના કરવા માટે આવે છે. આ દિવસે શિવ મંદિરની અંદર રહેલી શિવલિંગની પૂજા કરે છે. આથી એના બધા પાપો ના થાય છે એવી માન્યતા રાખવામાં આવે છે.
જૂનાગઢમાં ભરાતા આ મેળામાં દામોદર કુંડ આવેલો છે, જેમાં અનેક લોકો સાધુ સાથે સ્નાન કરે છે, અને માનવામાં આવે છે કે આ કુંડમાં માં સ્થાન કર્યા પછી તેના બધા પાપોમાંથી માંથી મુક્તિ મળે છે. આમ ગણવામાં આવે તો હિન્દુ ધર્મમાં આ મેળો ઉત્તમ ગણવામાં આવે છે.
આ મેળામાં ભારત ઉપરાંત વિદેશથી પણ લોકો મહાશિવરાત્રીનો મેળો જોવા અને દર્શન કરવા આવતા હોય છે.

આ દિવસે કેમ કરીયે પૂજા?
- ઉપવાસ અને ભક્તિ: શિવભક્તો આ દિવસે નિર્જળા અથવા ફળાહાર ઉપવાસ રાખે છે અને રાતભર શિવનામના જપમાં લીન રહે છે.
- શિવલિંગ પર અભિષેક: દૂધ, જલ, ઘી, મધ અને ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કરવું શુભ માનવામાં આવે છે.
- બિલ્વપત્ર અર્પણ: ભગવાન શિવને બિલ્વપત્ર અને ધતૂરા ચડાવવામાં આવે છે, જે તેમનાથી અત્યંત પ્રિય છે.
- મંત્રજપ અને સ્તોત્ર પઠન: ‘ૐ નમઃ શિવાય’ મંત્રનો જપ કરવાથી અપાર લાભ થાય છે. શિવ મહિમ્ન સ્તોત્ર અને રુદ્રાષ્ટકનું પાઠ કરવું પણ પાવન માનવામાં આવે છે.
આ પણ વાંચો…
-
Kumbh mela 2025 // કુંભ મેળા વિશે માહિતી
-
સ્વસ્થ કિડની માટે જીવનશૈલીમાં આ આદતો અપનાવો – Healthy Kidneys
મહા શિવરાત્રીના આધ્યાત્મિક ફાયદા
- પાપોનો નાશ: એવું માનવામાં આવે છે કે મહા શિવરાત્રીની રાત્રે ભક્તિપૂર્વક જાગરણ કરવાથી પાપોનો નાશ થાય છે.
- મનશાંતિ અને એકાગ્રતા: શિવ ઉપાસનાથી મનને શાંતિ મળે છે અને ધ્યાનશક્તિ વધે છે.
- સકારાત્મક ઉર્જાનો વધારો: શિવતત્ત્વની ઉપાસનાથી જીવનમાં શાંતિ અને સમતુલા રહે છે.
ઉપસંહાર
મહા શિવરાત્રી માત્ર એક તહેવાર નથી, પરંતુ એક દૈવિક અનુભવ છે. આ પવિત્ર દિવસે આપણે શિવચિંતન, પૂજા અને આત્મશુદ્ધિ દ્વારા જીવનમાં નવા પ્રકાશ અને શાંતિની પ્રાપ્તિ કરી શકીએ.
હર હર મહાદેવ !
One thought on “મહા શિવરાત્રી // maha shivratri 2025”