વહાલી દીકરી યોજના હેઠળ 2025-26થી ₹4000થી ₹ 1 લાખ સુધીનો લાભ મળશે

ઓગસ્ટ-2019 પછી જન્મેલી દીકરીઓને શિક્ષણથી લઈને લગ્ન સુધીની સહાય મળશે, જેમાં ધો-1, ધો-9 અને 18 વર્ષની ઉંમરે 4 હજારથી ₹ 1 લાખ અપાશે

ગુજરાતમાં વર્ષ 2019માં ‘વહાલી દીકરી યોજના’નો અમલ શરુ કરાયો હતો. જેના દ્વારા ગરીબ વ્યક્તિને તેની દીકરીના ભણતરથી લઈને લગ્ન સુધીના પ્રસંગોના ખર્ચને પહોંચી વળવા માટે સરકારની મદદ કરે છે. છેલ્લા 5 વર્ષોમાં આ યોજના હેઠળ 2.37 લાખથી વધુ દીકરીઓની નોંધણી કરવામાં આવી છે. આ યોજનાનો લાભ હવે, 2025-26 થી મળવા લાગશે, કારણ કે યોજનાની જોગવાઈઓ એવી છે કે, લાભાર્થી દીકરીઓ ધોરણ 1 માં પ્રવેશ લીધા પછી જ લાભ મેળવવા પાત્ર બને છે. આ યોજનાની લાભાર્થી દીકરીઓને 18 વર્ષની ઉમર સુધી 4 હજારથી લઈને 1 લાખ રૂપિયા સુધીની સહાય મળશે.

કમાનાર વડીલનું મૃત્યુ થાય તો વીમા રકમ અપાશે

વહાલી દીકરી યોજના હેઠળ રાજ્ય સરકાર ગરીબ દીકરીઓને ધોરણ 1માં પ્રવેશ સમયે 4,000, ધોરણ 9માં પ્રવેશ સમયે 6,000 અને 18 વર્ષની વયે પહોંચતી વખતે 1 લાખની સહાય આપશે. આ સમયગાળા દરમિયાન, જો ઘરમાં કમાનાર વડીલનું મૃત્યુ થાય, તો રાજ્ય સરકાર તેની પુત્રીને 10,000ની વધારાની વીમા રકમ પ્રદાન કરશે પરંતુ આ યોજનાનો લાભ એવા દંપતીઓ જ મેળવી શકે છે કે જેમને વધુમાં વધુ 3 બાળકો હોય. દંપતીના3 બાળકોમાં એક, બે અથવા ત્રણેય પુત્રીઓ હોય તો પણ આ યોજનાનો લાભ મેળવી શકાશે.

આ યોજનામાં LIC ફંડ મેનેજમેન્ટ એજન્સી છે રાજ્ય સરકારે વર્ષ 2019માં ‘વહાલી દીકરી યોજના’ શરૂ કરી ત્યારે લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LC) ને ફંડ મેનેજમેન્ટ એજન્સી તરીકે નિયુકત કરવામાં આવી હતી. રાજ્ય સરકારે યોજનાના અમલીકરણ અને લાભાર્થીઓને સહાયની રકમના વિતરણ માટે એલઆઈસી સાથે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં LICને અંદાજિત ડા4.89 કરોડ ચૂકવ્યા છે.

Leave a Comment